ગાંધીધામ ટુડે ન્યુઝ: ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૬ ગુજરાત નેવલ યુનિટ એનસીસી, ગાંધીધામ દ્વારા ભીમાસરના ભારત માતા પાર્ક ખાતે વિશિષ્ટ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કુલ ૩૩૦ એનસીસી કેડેટ્સ, ૧ અધિકારી, ૬ ANO, ૨ GCI, અને ૧૧ નૌકાદળના P.I. સ્ટાફ એ ઉત્સાહભેર ભાગ લીધો. સૌકિય અને અનુશાસનસભર વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં યોગની પ્રાચીન ભારતીય પરંપરાનું મહત્વ સમજાવાયું.
યોગ, જેનો ઉદ્ભવ લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલા ભારતમાં થયો હતો, આજે વિશ્વભરમાં શરીર અને મન વચ્ચે સંતુલન સાધવાની અત્યંત અસરકારક પદ્ધતિ તરીકે ઓળખાય છે. “યોગ” શબ્દ પોતે જ સંસ્કૃતમાં “જોડાવું” એટલે કે એકતા, એકાગ્રતા અને સમાગમ દર્શાવે છે.
આ ૧૧મા યોગ દિનની ઉજવણી એ યોગવિદ્યાને જીવનશૈલી તરીકે અપનાવવાના સંદેશ સાથે કેડેટ્સમાં આત્મવિશ્વાસ, મનોબળ અને શારીરિક ક્ષમતા વિકસાવવાનું અમુલ્ય સાધન બની રહી.