આદિપુરમાં ઓમ શિવ મંડળી દ્વારા શ્રાવણ માસ દરમિયાન મહા અન્નદાનનું આયોજન

આદિપુરમાં ઓમ શિવ મંડળી દ્વારા શ્રાવણ માસ દરમિયાન મહા અન્નદાનનું આયોજન આદિપુરમાં ઓમ શિવ મંડળી દ્વારા શ્રાવણ માસ દરમિયાન મહા અન્નદાનનું આયોજન

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શ્રાવણ માસના પવિત્ર અવસર પર આદિપુરની ઓમ શિવ મંડળી દ્વારા નિવાસીતેશ્વર મંદિર ખાતે વિશેષ અન્નદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનો ધર્મ અને પુણ્ય કમાવવાનો ઉત્તમ સમય ગણાય છે, ત્યારે આ મંડળીએ આ પવિત્ર માસ દરમિયાન દર રવિવારે અન્નદાનનો વિશેષ કાર્યક્રમ યોજ્યો છે.

ઓમ શિવ મંડળીના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રાવણ મહિનામાં કરવામાં આવતા દાનનું ફળ સો ગણું મળે છે. શિવપુરાણ અને સ્કંદપુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે આ માસમાં અન્નદાન કરવાથી ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું મનાય છે કે શ્રાવણ માસમાં કરાયેલું દાન સીધું મહાદેવને અર્પણ થાય છે.

Advertisements
Advertisements

આ કાર્યક્રમના ભાગરૂપે, ગત રવિવારે 300થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને અનાજનું દાન કરવામાં આવ્યું હતું. ઓમ શિવ મંડળીનું આ સેવાકાર્ય સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે, અને શ્રાવણ માસની પવિત્રતાને વધુ ઉજાગર કરી રહ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment