આદિપુર ખાતે પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા 350 થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક અને પુસ્તકોનું વિતરણ

આદિપુર ખાતે પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા 350 થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક અને પુસ્તકોનું વિતરણ આદિપુર ખાતે પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા 350 થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક અને પુસ્તકોનું વિતરણ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા રવિવાર, 1 જુલાઈ 2025 ના રોજ આદિપુર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350 થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદ કરવાનો હતો.

આ વિતરણ કાર્યક્રમમાં શહેરભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા અને તેમણે આ પહેલનો લાભ લીધો હતો. પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ મદદ બદલ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ભગીરથ કાર્યક્રમને સફળ બનાવવા માટે પેરેડાઇઝ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શનિ બુચિયા, પિયુષ શ્રીવાસ્તવ, પ્રમુખ જયશ્રી કેવલાની, વિક્રમ દુલ્ગચ, જુલી સોની, ડો. શીતલ માલી, ડો. હરેશ માલી, પ્રીતિ મોમાયા, હેતલ સોલંકી, બબીતા ગોયલ, કૃપાલી ભંભણીયા તથા અમરીશભાઈ સહિત અનેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમની નિષ્ઠા અને સમર્પણને કારણે જ આ કાર્યક્રમ સુચારુ રૂપે સંપન્ન થઈ શક્યો.

પેરેડાઇઝ ફાઉન્ડેશન ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવા કટિબદ્ધ છે અને સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *