પીએમ નરેન્દ્ર મોદી ભુજમાં : કહ્યું “મારો અને કચ્છનો સંબંધ બહુ જૂનો છે”

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર PM મોદી ગુજરાત મુલાકાતે છે. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ સવારે 10 વાગ્યે કેસરી કોટીમાં રોડ શો કર્યો હતો. ત્યાર બાદ PM મોદી દાહોદ જવા નીકળ્યા હતા. જ્યાં તેમણે 11.30 વાગ્યે રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

ત્યારબાદ PM મોદી ભુજ પહોંચ્યા હતા. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજી સભા સ્થળેપહોંચી રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુંહતું. બાદમાં પીએમ મોદીએ કચ્છી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.

  • પાકિસ્તાનના યુવકોને નક્કી કરવું પડશે કે આ રસ્તો તેના માટે ઠીક છે. શું તેનું ભલું થઈ રહ્યું છે. શું તેનાથી પાકિસ્તાનના બાળકોની જિંદગી બનશે. પાકિસ્તાનને આતંકની બીમારીથી મુક્ત કરવા તેની જનતાને આગળ આવવું પડશે. સુખચેનની જિંદગી જીવો, રોટી ખાવ નહીં તો મારી ગોલી તો છે જ.
  • ભારતની લડાઈ સીમા પારના આતંકવાદ સામે છે. જે પોષી રહ્યા છે તેની સાથે દુશ્મની છે. હું કચ્છની ધરતી પરથી પાકિસ્તાનના લોકોને કહેવા માગુ છું કે, શું મેળવ્યું તમે, હિન્દુસ્તાન દુનિયાની ચોથી ઈકોનોમી બન્યું તમારા હાલ શું છે. તમને દરદર ભટકવા મજબૂર કોણે કર્યા. આતંકવાદના આકાઓને. પાકિસ્તાનના નાગરિકો, ખાસ કરીને ત્યાંના બાળકો મોદીની વાત કાન ખોલીને સાંભળી લો,. તમારી સરકાર અને તમારી સેના આતંકવાદને સમર્થન આપી રહી છે. આતંકવાદ પાકિસ્તાન સેના અને સરકાર માટે પૈસા કમાવવાનું સાધન બની ગયું છે.
  • આ વખતે આખું પાકિસ્તાન કાંપી રહ્યું હતું. 71માં તે વિચારતા હતા કે ભુજના એરબેઝ પર હુમલો કર્યો હતો. ત્યારે આપણી બહેનોએ કમાલ કરીને બતાવી દીધું હતું,. બહાદુરીની મિશાલ બતાવી હતી. સાથીઓ પાકિસ્તાનના હુમલાનો જવાબ આપણે એટલે તાકાતથી આપ્યો કે તમામ એરબેઝ આજે પણ ICUમાં પડ્યા છે. ત્યારે જઈને પાકિસ્તાન શરણાગતિ માટે મજબૂર થઈ ગયું. પાકિસ્તાનને લાગ્યું કે બચી નહીં શકીએ ભારતે રોદ્ર રૂપ બતાવી દીધું છે. આપણી સેનાનું પરાક્રમ હતું. આપણી સેનાનું સાહસ હતું.
  • ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાઈ ગયું તે પણ અમે જોયું છે. 9 તારીખે રાત્રે આપણી કચ્છની સીમા પર પણ ડ્રોન આવ્યા. 71ના યુદ્ધને યાદ કરો અહીં જે વીરાંગના આવી હતી તેમને રનવે બનાવ્યો હતો. આજે મારું સૌભાગ્ય છે કે, 71ના યુદ્ધના વીરાંગનાઓએ મને આશીર્વાદ અને સિંદૂરના્ વૃક્ષનો રોપ આપ્યો છે જે પીએમ હાઉસમાં લાગશે. આ સિંદૂરનો રોપ છે. જે વટવૃક્ષ બનીને રહેશે.
  • 22 મે બાદ મેં ક્યારેય છૂપાવ્યું નથી. બિહારની જનસભામાં ઘોષણા કરી હતી કે, આતંકવાદના ઠેકાણાઓને મિટ્ટીમાં મિલાવી દઈશ. 15 દિવસ સુધી અમે રાહ જોઈ કે, પાકિસ્તાન આતંકવાદ સામે કોઈ કાર્યવાહી પણ કરશે. પણ કદાચ આતંકવાદ જ તેની રોજીરોટી છે. જ્યારે તેને કંઈ ન કર્યું પછી મે દેશની સેનાને ખુલ્લી છૂટ આપી. ભારતના ટાર્ગેટ પર આતંકવાદીઓના હેડક્વાર્ટર હતા. સેંકડો કિલોમીટર અંદર જઈને સીધો હુમલો કરીને આવી ગયા. આ દર્શાવે છે કે, આપણી સેના કેટલી સક્ષમ અને અનુશાસિત છે. અમે દુનિયાને દેખાડ્યું કે, અમે આતંકવાદના અડ્ડાને અહીં બેઠા બેઠા મિટ્ટીમાં મિલાવી શકીએ છીએ.
  • અમારી નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની છે. ઓપરેશન સિંદૂરે આ નીતિને વધુ સ્પષ્ટ કરી દીધી છે. જે પણ ભારતીયોનું ખૂન વહાવવાની કોશિશ કરશે તેને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. ભારત પર આંખ ઉઠાવવાવાળા કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે. ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે.
  • પાકિસ્તાન જેવો દેશ છે કે, જે ટેરરિઝમને ટુરિઝમ માને છે. જે દુનિયા માટે મોટો ખતરો છે. આપણા ગુજરાતમાં કચ્છના લોકોને ખબર હશે કે, પહેલા ગાંધીનગરથી કોઈ મુખ્યમંત્રી કે મંત્રી કચ્છ આવે ત્યારે તેના ભાષણમાં પાકિસ્તાનથી શરૂ થતું અને પાકિસ્તાનથી પુરું થતું હતું. તમે જોયું હશે કે, 2001માં નક્કી કરી લીધું કે, હું તેમાં સમય બરબાદ નહીં કરું,. હું ફક્ત કચ્છની તાકાતની વાત કરીશ. કચ્છના લોકોએ પૂરા સામર્થ્ય સાથે પાકિસ્તાનને પણ ઈષ્યા થઈ જાય તેવું કચ્છ બનાવી દીધુ છે.
  • ગુજરાતના ભાઈઓ બહેનોએ મને ગુજરાતમાંથી વિદાય આપીને દિલ્હી મોકલ્યો. 26 મે 2014ના રોજ દેશમાં પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે સોગંદ લીધા હતા. તમારા આશીર્વાદથી 26 મે 2014 ગુજરાત સેવામાંથી આગળ વધીને રાષ્ટ્રસેવામાં 11 વર્ષની યાત્રા અને જોગાનુજોગ જુઓ 26 મે પ્રધાનમંત્રી પદને 11 વર્ષ થયા. સોગંદ લીધા ત્યારે ઈકોનોમીમાં દેશ 11માં નંબરે હતો આજે ચોથા નંબરે પહોંચી ગયો.
  • જ્યારે આપણો રણોત્સવ ચાલતો હોય ત્યારે આપણે કચ્છના બીચ પર બીચ કોમ્પીટીશન યોજવામાં આવે. કારણે આજકાલ બીચ ગેમ્સ પોપ્યુલર થઈ રહ્યા છે. હું ઈચ્છું છું કે, તમે રણોત્સવ ચાલતો હોય ત્યારે માંડવી બીચ પર દેશભરના લોકો આવે અને બીચ ઉત્સવની ઉજવણી થાય. જે પણ મદદ થાય તે આપવા હું તૈયાર જ છું.
  • એક સમય હતો કે, ગુજરાતમાં પાણી સેંકડો ફૂટ નીચે જતું રહ્યુ હતું. આજે નર્મદાના કારણે સ્થતિ બદલાઈ ગઈ છે. કચ્છની કિસ્મત બદલાઈ ગઈ છે. આજે કચ્છની કેરી, ખજૂર, અનાજ અને ડ્રેગન ફ્રૂટ કમાલ કરી રહ્યા છે. એક સમય હતો કચ્છમાં પલાયન થતું હતું. આજે કચ્છના લોકોને કચ્છમાં જ રોજગાર મળે છે અને બહારના લોકોને પણ રોજગાર આપે છે.
  • એક જમાનો હતો આપણું માંડવી જહાજ બનાવવા માટે મશહૂર હતું. આજે પણ એ શક્તિ માંડવીમાં જોવા મળે છે. હવે આપણે આધુનિક જહાજ લઈને દુનિયામાં જવા માગીએ છે. તેનું નિર્માણ અને એક્સપોર્ટ કરવા માગીએ છીએ. અલંગમાં શિપ બ્રેકીંગ યાર્ડ છે હવે આપણે શિપ બિલ્ડિંગમાં તાકાત લગાવી છે. આ વિરાસત કચ્છના વિકાસની પ્રેરણા બની રહેશે.
  • એક જમાનો હતો કે, આપણે કચ્છનું વર્ણન કરીએ એટલે બધા કહે અહીં તો રણ છે, અહીં શું થાય. ત્યારે હું કહેતો હતો કે, આ રણ નહીં આતો મારા ગુજરાતનું તોરણ છે. જે ધૂળની ડમરી અને ખારાપાટ આપણને ઘેરતા હતા એ જ રણ હવે આપણને નહીં આખા હિન્દુસ્તાનને ઉર્જાવાન બનાવવાના છે. ખાવડા કોમ્પલેક્સના કારણે કચ્છ આખી દુનિયાના એનર્જી મેપમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યું છે. અમારી સરકારનો પ્રયાસ છે કે, તમને પૂરતી વીજળી મળે અને બીલ પણ ઝીરો હોય. જેના માટે અમે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરી છે.
  • ગ્રીન હાઈડ્રોજન એક નવા પ્રકારનું ઈંધણ છે. આવનારા સમયમાં કાર, બસ, સ્ટ્રીટલાઈટ આ બધુ ગ્રીન હાઈડ્રોજનથી ચાલવાનું છે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઈડ્રોજન હબમાંથી એક છે. આજે પણ અહીં ગ્રીન હાઈડ્રોજન કારખાનાનો શિલાન્યાસ થયો છે. કારખાનામાં જે ટેક્નોલોજી લાગી છે તે પણ મેડ ઈન ઈન્ડિયા છે. આપણું કચ્છ ભારતની સૌર ક્રાંતિના પણ કેન્દ્રમાં છે. દુનિયાના સૌથી મોટા પાવર પ્રોજેક્ટમાંથી એક અહીં મારા કચ્છમાં બની રહ્યો છે.
  • આજે કચ્છ વેપાર, ટુરિઝમનું એક મોટું સેન્ટર છે. આવનારા સમયમાં કચ્છની ભૂમિકા મોટી થવાની છે. જ્યારે પણ હું કચ્છના વિકાસને ગતિ આપવા આવું છે ત્યારે મને લાગે છે કે, હું કંઈક નવું કરીશ. આજે અહીં વિકાસ સાથે જોડાયેલા 50 હજાર કરોડથી વધુના વિકાસકામોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. એક સમય હતો કે, આખા ગુજરાતમાં 50 હજાર કરોડની યોજનાની વાત સંભળાતી ન હતી.
  • જ્યારે અહીં ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગતું હતું કે, બધુ ખતમ. હવે કંઈ નહીં થઈ શકે. કચ્છ મોતની ચાદર ઓઢીને સૂતું હતું. પણ મેં ક્યારેય મારો વિશ્વાસ ખોયો ન હતો. મારો વિશ્વાસ કચ્છી ખમીર પર હતો. એટલે જ હું કહેતો હતો કે, બાળકોને ભણાવવું પડશે કે કચ્છનો ક અને ખમીરનો ખ. મને વિશ્વાસ હતો કે, કચ્છ આ સંકટને પરાસ્ત કરશે. ભૂકંપને પણ કંપાવીને મારા કચ્છીમાડુ ઉભો થઈ જશે. અને તમે બિલકુલ એવું જ કર્યું.
  • જૂની પેઢીના લોકો જાણે છે કે, વર્તમાન પેઢીને કદાચ ખબર નથી. આજે અહીંનું જીવન બહુ આસાન થઈ ગયું પણ ત્યારે હાલાત કંઈક ઔર હતી. જ્યારે મુખ્યમંત્રીના રૂપમાં પ્રથમવાર નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું ત્યારે એ દિવસ કચ્છ માટે દિવાળી બની ગયો હતો. મારું સૌભાગ્ય છે કે, સૂકી ધરતી પર પાણી પહોંચાડવા નિમિત બનવાનો મને અવસર મળ્યો.
            • તમારો લોકોને પ્રેમ એટલો છે કે, હું કચ્છ આવતા રોકાઈ નથી શકતો,. સત્તા સાથે મારે કોઈ લેવાદેવા નહોતું ત્યારે પણ કચ્છની ધરતી પર સતત આવવું સહજ હતું. અહીં ખૂણે ખૂણે જવાનો મોકો મળ્યો છે. કચ્છના લોકો, લોકોને આત્મવિશ્વાસ, અભાવોની વચ્ચે પણ આત્મવિશ્વાસથી ભરેલા લોકો હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યા છે.

            Add a comment

            Leave a Reply

            Your email address will not be published. Required fields are marked *