શિણાય : આકાર વિલા 2 સોસાયટીમાં ‘આત્મનિર્ભર ભારત’ની અનોખી પહેલ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરતું એક પ્રેરણાદાયક ઉદાહરણ ગઈકાલે શિણાય સ્થિત આકાર વિલા 2 સોસાયટીમાં જોવા મળ્યું. ગાંધીધામ મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં, સોસાયટીના રહીશોએ જાતે જ કમાન સંભાળી.

સોસાયટીના વરિષ્ઠ નાગરિકો જેવા કે મનુભા જાડેજા, પદુભા રાણા, રાજભા ઝાલા, નીતીનભાઈ મિસ્ત્રી, બાબુભાઈ, તેમજ યુવાનો શૈલેષભાઈ બારોટ, મનીષભાઈ પટેલ, મહિપાલસિંહ રાણા, ભોમીકભાઈ, ખુમાનસિંહ, બળભદ્રસિંહ ઝાલા અને દેવેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સભ્યોએ પોતાની સાપ્તાહિક રજાનો ત્યાગ કરીને સમાજ સેવા માટે સમય ફાળવ્યો. તેમણે સોસાયટી પાસેના મોટા ખાડા પૂરવાની અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની અનોખી પહેલ કરી.

Advertisements
Advertisements

આ ઘટના દર્શાવે છે કે જ્યારે સરકારી તંત્રની મદદ મળતી નથી, ત્યારે નાગરિકો સ્વયં પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સક્ષમ છે. આ કાર્ય આત્મનિર્ભરતા, સામાજિક જવાબદારી અને નાગરિક સક્રિયતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે, જે અન્ય સોસાયટીઓ અને સમુદાયો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment