ગાંધીધામ ટુડે, ન્યૂઝ: “માનવ સેવા એ જ ભગવાન સેવા” ની ભાવનાને જીવનમાં ઉતારતા સિંધી સેવા મંચ પરિવાર છેલ્લા 12 વર્ષથી સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે દર વર્ષે શાળાઓ શરૂ થતા સમયે સ્કૂલ કીટ વિતરણ કાર્યક્રમ યોજી સેવા આપે છે. આ વર્ષે પણ સંસ્થાએ 200 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ કીટો વિતરીત કરી મદદરૂપ બનવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.
સંસ્થાના પ્રમુખ શ્રી કમલેશ મૈદાસાનીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંસ્થા માત્ર બાળકો માટે જ નહીં પરંતુ અન્ય નબળા વર્ગો — જેમ કે ભાડાના મકાનમાં રહેતા પરિવારો, શરીરથી નબળા લોકો, રોજગાર તરીકે વાહન ચલાવતા લોકો અને વિધવાઓને પણ સમયાંતરે મદદ કરે છે. ઉપરાંત, સંસ્થા યુવતીઓના લગ્ન અને તબીબી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ સહાયરૂપ બને છે.
વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં વિતરણ કાર્યક્રમ યોજાયો
આ સેવાકીય કાર્યક્રમની શરૂઆત અનેક મહાનુભાવો અને દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તેમાં ગાંધીધામ સહકારી બેંકના ચેરમેન, ડિરેક્ટર શ્રી પ્રેમ લાલવાણી, કુમારભાઈ રામચંદાની, સીઈઓ નરેશ ગણવાણી, શાખા મેનેજર સુરેશ કેશવાણી, એસઆરસીના ડિરેક્ટર રવિ પમવાણી, સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખ હરીશ કલ્યાણી, સાધુ મદનાણી અને અશોક તલરેજા ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાએ દરેક દાતાઓનો આભાર માન્યો
વિમલ સેવાભાવ રાખતાં દાતાઓ જેમ કે નાનકરામ આહુજા, મહેશ ધનસુખાની, કિશોર તેવાણી, શ્યામ ગુરનાનીજી, અશોક ચેલાની, ઉમેશ નેનવાણી, મહેશ તેજવાણી, જયપ્રકાશ લખવાણી, ગૌતમ નાનકાણી વગેરેનો તેમના સતત સહકાર બદલ સંસ્થાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સિંધી સેવા મંચ પરિવારનું આ સતત સેવાકીય યજ્ઞ સમાજમાં ભળવા જેવી પ્રવૃત્તિઓ માટે એક પ્રેરણારૂપ બેચમ છે, જે સમાજના અન્ય સંગઠનો માટે પણ આશાદાયક દિશામાં યોગદાન આપવા માટે માર્ગદર્શક બની શકે છે.