આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે : પીએમ મોદી

આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે : પીએમ મોદી આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે : પીએમ મોદી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારથી આતંકવાદીઓને કડક સંદેશ આપ્યો હતો. બિહારના મધુબનીમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલગામના ગુનેગારોનો દફનાવવાનો સમય આવી ગયો છે. આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આતંકવાદ મામલે વિશ્વને કડક સંદેશ આપવા મોદી ભાષણમાં દોઢ મિનિટ અંગ્રેજીમાં પણ બોલ્યા હતા.

મોદીએ કહ્યું- ‘આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો, કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો.’ તેમાંના કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક કન્નડ, કેટલાક ગુજરાતી, તો કેટલાક બિહારના હતા. આજે કારગિલથી કન્યાકુમારી સુધી આપણો આક્રોશ સમાન છે.

પીએમ મોદીએ કહ્યું, ’22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં જે રીતે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. આખો દેશ તેનાથી દુઃખી છે. તેમના દુઃખમાં આખો દેશ તેમની સાથે ઊભો છે. સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો કરી રહી છે કે જેઓ હાલમાં સારવાર હેઠળ છે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય. આ હુમલો ફક્ત નિઃશસ્ત્ર લોકો પર જ થયો નથી. આ ભારતની આસ્થા પર હુમલો છે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે હુમલાખોરો અને તેમના આકાઓને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. પહલગાવ હમલે કે આતંકવાદિયોં કો મિટ્ટી મેં મિલા દેંગે.

પહેલગામ આતંકવાદી હુમલા અંગે પીએમ મોદીએ કહ્યું, ‘અમે તેમને ધરતીના છેલ્લા ખૂણા સુધી હાંકી કાઢીશું.’ આતંકવાદથી ભારતનો આત્મા ક્યારેય તૂટી શકશે નહીં. આતંકવાદીઓને સજા થશે. ન્યાય સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. આ સંકલ્પમાં આખો દેશ એક થયો છે. માનવતામાં વિશ્વાસ રાખનારી દરેક વ્યક્તિ આપણી સાથે છે. હું વિવિધ દેશોના લોકો અને તેમના નેતાઓનો આભાર માનું છું, જેઓ અમારી સાથે ઊભા છે. હું બિહારની ધરતીથી દુનિયાને કહું છું – ભારત આતંકવાદીઓને સજા આપશે. વિશ્વને કડક સંદેશ આપવા મોદી ભાષણમાં દોઢ મિનિટ અંગ્રેજીમાં બોલ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *