ગાંધીધામ ટુડે, ન્યૂઝ : હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન ધારકો માટે જૂન મહિનો રાહત ભરી શરૂઆત લાવી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) આવતીકાલથી શરૂ થતી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના તાજેતરના રિસર્ચ રિપોર્ટ અનુસાર, આ વખતે રેપો રેટમાં **0.50% (50 બેઝિસ પોઈન્ટ)**નો ઘટાડો થવાની શકયતા છે.
મોંઘવારી કાબૂમાં, હવે નક્કી થશે વ્યાજ દરનું ભવિષ્ય
This Article Includes
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠક 4 થી 6 જૂન દરમિયાન યોજાશે અને અંતિમ નિર્ણય 6 જૂને જાહેર થશે. અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં રેપો રેટમાં અનુક્રમે 0.25-0.25 ટકાનો ઘટાડો થયો હતો. હાલમાં રેપો રેટ 6% છે. મોંઘવારી કાબૂમાં હોય અને વિકાસ દર પણ સ્થિર હોય ત્યારે આરબીઆઈ વધુ ઘટાડો કરી શકે છે.
લોનની ઇએમઆઈ ઘટશે, ઉદ્યોગોને મળશે ઓક્સિજન
રેપો રેટ એ આરબીઆઈ દ્વારા અન્ય બેન્કોને આપવામાં આવતી લોનનો વ્યાજ દર છે. જો રેપો રેટ ઘટે છે તો બેન્કો પણ ગ્રાહકોને આપવામાં આવતી લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરે છે. પરિણામે હોમ લોન, કાર લોન તથા પર્સનલ લોનના ઇએમઆઈઓમાં રાહત મળશે. લોન સસ્તી થતાં નાણાકીય પ્રવાહમાં વૃદ્ધિ થશે, ઉદ્યોગોમાં રોકાણ વધશે અને રોજગારીમાં પણ વધારો થઈ શકે છે.
શું તમે લોન લેવા ઇચ્છો છો? આ સમય થઈ શકે છે સૌથી યોગ્ય!
વિશ્વભરમાં મંદીની લાગણી વચ્ચે ભારત આરથિક રીતે સ્થિર દેખાઇ રહ્યું છે. આવા સમયે આરબીઆઈના નિર્ણયો માત્ર સામાન્ય લોકોને નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીયલ અને હાઉસિંગ સેક્ટરને પણ રાહત આપશે. જો તમે લોન લેવા વિચારી રહ્યા હો તો આગામી દિવસો તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે.