ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આજે લંડન જતી ફ્લાઇટના હવાઈ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. આકસ્મિક વિદાયે સમગ્ર રાજ્ય સાથે ખાસ કરીને કચ્છ જનતાને ગમગીન કરી દીધા છે. સરળ સ્વભાવ અને ધરતી જોડાયેલી રાજકીય શૈલી માટે ઓળખાતા વિજયભાઈ કચ્છ પ્રત્યે પોતાની નિષ્ઠા અને લાગણી માટે યાદ રહી રહેશે.
તેમના મુખ્યમંત્રી પદ દરમિયાન કચ્છ માટે અનેક મહત્વના નિર્ણયો અને વિકાસકામો સફળતાપૂર્વક અમલમાં લાવ્યાં હતાં. ખાસ કરીને નર્મદાના વધારાના પાણી માટે તેમની ઇચ્છાશક્તિ અને નિયત સ્પષ્ટ હતી.
નર્મદાના વધારાના પાણી માટે સફળ પ્રયાસો
This Article Includes
2016માં કચ્છની મુલાકાતે આવેલા વિજયભાઈએ માંડવીમાં જાહેર કરેલું કે બજેટમાં નર્મદાના વધારાના પાણી માટે ફાળવણી કરશે – જે બાદે 2021માં ₹3,475 કરોડના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ યોજનાને બાદમાં વહીવટી મંજૂરી પણ મળી હતી.
દરિયાઈ સુરક્ષા અને પ્યારા કાર્યક્રમો સાથે જોડાણ
2018માં તેઓ મુંદરામાં કોસ્ટગાર્ડ કવાયત નિહાળી હતી અને અંજારમાં શહીદ વીર બાલભૂમિ માટે ₹5 કરોડની ફાળવણી કરી હતી. ત્યાર બાદ ધોરડોના રણમાં પ્રવાસન સંમેલન શરૂ કરાવ્યું, તો લખપતમાં જવાનો સાથે દિવાળી ઉજવી એવી યાદગાર ક્ષણો સર્જી હતી. તેમણે જવાનો માટે એરકૂલર અને મોબાઇલ કનેક્ટિવિટી જેવી સેવાઓ જાહેર કરી હતી.
અછત વખતે પણ કચ્છને ન છોડ્યું
2018-19ના અછતના સમયમાં પણ તેઓ કચ્છના ગામડાં સુધી પહોંચ્યા હતા, કામગીરીની સમીક્ષા કરી હતી અને ડિસેલિનેશન પ્લાન્ટની જાહેરાત કરી હતી. રઝળપાટ કર્યા બાદ જણાવ્યું હતું કે “કચ્છ માટે હું હંમેશાં સંવેદનશીલ છું”.
કચ્છ માટે શૈક્ષણિક ભેટો અને પ્રવાસન વિકાસ
ભુજથી સૂર્યોદય યોજના, કૃષિ અને વેટરનરી કોલેજની ભેટ, માતાના મઢ અને નારાયણ સરોવર જેવા સ્થળો માટે રૂપરેખાંકન, કરોડો રૂપિયાની વિકાસ ફાળવણી તેમનાં મુખ્યમંત્રિત્વના સમયગાળાની વિશિષ્ટ બાબતો રહી છે.